મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ યુવાન તેમજ તેના ભાઈ અને પિતાને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને  જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેને સારવારમાં ખસેડાયો હતો ત્યાર બાદ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ હળવદના કણબીપરામાં રામજી મંદિર પાસે રહેતા અને હાલમાં મહેન્દ્રનગર ગામે જીગ્નેશભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા જાતે પટેલ (ઉંમર ૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ મહેતા, અર્જુનભાઈ આહીર, આશિષભાઈ આહીર અને સોહિલભાઈ સુમરાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ઉમેશભાઈ પારેજિયાએ જણાવ્યું હતું કે તેને આરોપીઓ પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જો કે, તેને તે રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ અવારનવાર આરોપીઓ દ્વારા ફરિયાદી ઉમેશભાઈ તેમજ તેના ભાઈ અને તેના પિતાને ફોન કરીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ઉમેશભાઈ પાસે રૂબરૂ આવીને બળજબરીથી મૂદલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ તેના ભાઈને સોહીલભાઈ અને આશિષભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કંટાળી જઈને ઉમેશભાઈએ જુના ઘુટુ રોડ ઉપર બાપા સીતારામ મઢુલી પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં ઉમેશભાઈએ ચારેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અર્જુન દેવજીભાઇ કુંભરવાડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે સોહિલભાઈ દાઉદભાઇ સુમરા (૨૧) રહે, વીરપરડા વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News