મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારામાં પાણીદાર નેતાગીરીના અભાવે એકમાત્ર સરકારી દવાખાનામાં છેલ્લા ૧૬ વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી..!


SHARE











ટંકારામાં પાણીદાર નેતાગીરીના અભાવે એકમાત્ર સરકારી દવાખાનામાં છેલ્લા ૧૬ વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી..!
 
ટંકારામાં તાવ શરદી ઉધરસના દૈનિક ૫૦૦ કેસ હોસ્પિટલમાં આવતા દવાખાના કિડિયારૂની જેમ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ જાડી ચામડીના તંત્ર ટંકારામાં એમડી ડોક્ટરની જગ્યા ભરતા નથી..! એક એમબીબીએસ ડોકટરને પણ ડેપ્યુટેશનમાં મોકલી દીધા, ધન્વંતરિ રથ અદ્રશ્ય થઈ આંટાફેરા કરે છે.જેથી પાણીદાર સ્થાનિક નેતાગીરીના અભાવે પ્રજાએ સજા ભોગવી પડી રહી છે.
 
ટંકારા તાલુકામાં કોરોનાની ત્રિજી લહેરમાં રેકોડતોડ કેસો નોંધાયા છે સાથે તાવ ઉધરસ શરદી અને વાયરસથી દૈનિક હોસ્પિટલમાં કિડિયારૂની જેમ દર્દી ઉભરાઈ રહ્યા છે અને સૌથી મોટી વિડંબણાએ છે કે એકાદ લાખની વસ્તી ધરાવતા તાલુકાને એક એમડી ડોક્ટર પણ મળતો નથી જેના કારણે સરકારી દવાખાનું શોભાના ગાંઠીયા સમાન બની ઉભુ છે ત્યાં દવા લેવા આવનાર મજબુરી સિવાય પગથયુ ચડવામાં પણ સંકોચ અનુભવે છે.
 
આજે દેશ ગણતંત્ર બન્યાને ભલે ૭૩ વર્ષ થયા પરંતુ ટંકારાનુ આંધળું બહેરૂ અને જાડી ચામડીનું તંત્ર અને નેતાઓને પ્રજાનો અવાજ નાતો કદી સંભળાયો છે કે નાતો એના માટે કોઇ બોલ્યુ છે.એકમાત્ર સરકારી દવાખાનામાં છેલ્લા ૧૬ વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા પણ ખાલી છે.એક એમ્બ્યુલન્સ છે પણ કાયમી ડાયવર નથી..! ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કોણ કરશે..? એક ડોક્ટર તો ડેપ્યુટેશનમા મોકલી દીધા એક ડોકટર દેકારો અને બાપો મારી કરે અને એક ડોક્ટરે દવાખાનું ચાલે છે ત્યારે દર્દીના દર્દને કોણ દુર કરશે તે સૌથી મોટો સવાલ ઉભો છે.સૌથી ઓછુ વેકશીનનેશન અહીંની સીએચસી ખાતે થયુ છે છતા તપાસના આદેશ છુટયા નથી અહીં બીજી લહેરમાં એકપણ દર્દીને સારવાર કરવામાં ન આવી છતા કોઈ પગલા લેવાયા નથી અને સાવ ધકેલપંચા દોઢસો માફક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલે છે ત્યારે તાત્કાલિક અસરથી એક એમડી ડોક્ટરની જગ્યા ભરવામાં આવે તેવી ટંકારાવાસીઓ માંગ કરી રહ્યા છે.





Latest News