મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પીપળીથી અણીયારી સુધીના ૧૧૮ કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડને મંત્રીની મહેનતથી તાંત્રિક મંજુરી મળી


SHARE











મોરબીના પીપળીથી અણીયારી સુધીના ૧૧૮ કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડને મંત્રીની મહેનતથી તાંત્રિક મંજુરી મળી

મોરબી વિસ્તાર માટે ખૂબજ મહત્વના એવા મોરબીના પીપળીથી અણીયારી સુધી ફોરલેન બનાવવા માટે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાના સતત પ્રયાસો અને સઘન ફોલોઅપને લઇને આ રસ્તો ફોરલેન કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજુરી મળી ગયેલ છે અને ૧૧૮ કરોડના ખર્ચે ફોરલેન રોડ બનાવવા તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કામ હાથ ધરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી - માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં જ આ રોડને રીપેરીંગ કરવા તાકિદે સૂચના આપેલ અને સંબંધિતોની બેઠક યોજી ઘનિષ્ઠ ફોલોઅપ કરેલ અને આ રોડનું રીપેરીંગ કામ હાલ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે અને જેનો લાભ મોરબીવાસીઓને મળશે વધુમાં મોરબી-હળવદ રોડને પણ ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૯૦.૯૪ કરોડના ખર્ચે તાંત્રિક મંજુરી મળી ગયેલ છે જેનું ટૂંક સમયમાં ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે અને જેનો લાભ મોરબી - હળવદની જનતાને મળશે .






Latest News