મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પીપળીથી અણીયારી સુધીના ૧૧૮ કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડને મંત્રીની મહેનતથી તાંત્રિક મંજુરી મળી


SHARE











મોરબીના પીપળીથી અણીયારી સુધીના ૧૧૮ કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડને મંત્રીની મહેનતથી તાંત્રિક મંજુરી મળી

મોરબી વિસ્તાર માટે ખૂબજ મહત્વના એવા મોરબીના પીપળીથી અણીયારી સુધી ફોરલેન બનાવવા માટે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાના સતત પ્રયાસો અને સઘન ફોલોઅપને લઇને આ રસ્તો ફોરલેન કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજુરી મળી ગયેલ છે અને ૧૧૮ કરોડના ખર્ચે ફોરલેન રોડ બનાવવા તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કામ હાથ ધરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી - માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં જ આ રોડને રીપેરીંગ કરવા તાકિદે સૂચના આપેલ અને સંબંધિતોની બેઠક યોજી ઘનિષ્ઠ ફોલોઅપ કરેલ અને આ રોડનું રીપેરીંગ કામ હાલ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે અને જેનો લાભ મોરબીવાસીઓને મળશે વધુમાં મોરબી-હળવદ રોડને પણ ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૯૦.૯૪ કરોડના ખર્ચે તાંત્રિક મંજુરી મળી ગયેલ છે જેનું ટૂંક સમયમાં ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે અને જેનો લાભ મોરબી - હળવદની જનતાને મળશે .






Latest News