મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુધન માટે તાત્કાલિક ડોક્ટર-દવાની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં પશુધન માટે તાત્કાલિક ડોક્ટર-દવાની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં પશુધનમાં પ્રસરેલ રોગચાળા સામે તબિબ અને દવા નિયમિત રીતે મળતી ન હોવાથી પશુઓના મોત થાય છે અને માલધારીઓ હેરાન થાય છે જેથી કરીને મોરબી જીલ્લામાં પશુ ડોકટર અને પશુ માટે જરૂરી દવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને રજૂઆત કરીને કરવામાં આવી છે

મોરબી કોંગ્રેસ આગેવાન ૨મેશભાઈ બી. રબારી, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પ્રમુખ મહેશભાઈ ધારાભાઈ ભરવાડ અને  મોરબી તાલુકા પંચાયતના સદસ્ય રાજેશભાઈ ભરવાડએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં પશુધન માટે તબિબિ સુવિધા નહીવત અને અનિયમિત હોઈ છે અને અનેક પશુઓ રોગચાળો થાય છે ત્યારે પશુ અને માલધારી બંને પરેશાન થાય છે કેમ કે, આ જિલ્લામાં પુરતા પ્રમાણમાં પશુચિકિત્સા કેન્દ્રો નથી અને જે છે તેમાં પુરતા પ્રમાણમાં તબિબો અને તબિબાલયો નથી આવા કેન્દ્રોમાં ત્રણથી ચાર કેન્દ્રો વચ્ચે એકાદ તબિબ હોય છે જેઓ સક્ષમ સારવાર આપી શકતા નથી અને પશુઓ અકાળે મરણ જાય છે

મોરબીમાં સ્થાનિક પશુપાલન અધિકારીઓ અબોલ પશુઓને સાચવી શકતા નથી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં પશુધન છે ત્યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ જીલ્લામાં તબિબિ સવલતોમાં પડતી અગવડતા દૂર કરવામાં આવે અને માલધારીના પશુને બચાવવા માટે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, જેતપર (મચ્છુ) ગામે પશુદવાખાનું છે પણ ડોકટર સમયસર નિયમિત રીતે આવતા નથી હાલ મોરબી જિલ્લા તાલુકામાં પશુઓમાં ખરવા નામનો પગમાં ભયંકર રોગ પ્રસરી રહ્યો છે જેના કારણે પશુઓ ચાલી શકતા નથી તેમજ મોઝા નામનો પશુઓનો રોગ છે જે મોઢામાં થાય છે જેના કારણે પશુઓ કોઈપણ જાતનો ખોરાક લઈ શકતા નથી ત્યારે ડોકટરની અનીયમીતના કારણે સમયસર સારવાર મળતી નથી જેથી માલધારીઓ હેરાન પરેશાન થાય છે
 






Latest News