મોરબી જિલ્લા આપ દ્વારા વનરક્ષક ભરતીના પેપરકાંડની તપાસની માંગ: વાંકાનેરમાં તિરંગા યાત્રા યોજાઇ
SHARE
મોરબી જિલ્લા આપ દ્વારા વનરક્ષક ભરતીના પેપરકાંડની તપાસની માંગ: વાંકાનેરમાં તિરંગા યાત્રા યોજાઇ
પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીની જીતની ખુશીમાં મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેતનભાઈ લોરીયા, સરસાવડીયા જયદીપભાઈ, દિવ્યેશભાઈ મગુનીયા, સદાતીયા રમેશભાઈ, આઇ.ટી. ઈન્ચાર્જ લલિતભાઈ જોડાયા હતા. આ તીરંગા યાત્રાને સફળ બનાવા મોરબી જિલ્લા ઉપપ્રમુખ તોફીકભાઈ અમરેલીયા, મોરબી જિલ્લા સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા, વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી, વાંકાનેર તાલુકા યુવા પ્રમુખ મુન્નાભાઈ મીર, વાંકાનેર તાલુકા એસ.સી.એસ.ટી પ્રમુખ દિલીપભાઈ ચાવડા, વાંકાનેર તાલુકા સોસીયલ મીડિયા પ્રમુખ હરવિજયસીહ, એકસ આર્મીમેન અનવરભાઈ તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં થયેલા વનરક્ષક ભરતીના પેપરકાંડને લઇને પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામ, મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સ્મિતભાઈ ક્કકડ, બજાણિયા મયુરભાઈ, ઝંઝવાડીયા ઉદયભાઈ, પિત્રોડા કિશનભાઈ, ચોહાણ મીતભાઈ તથા લલિતભાઈ ખરા તથા અન્ય કાર્યકરો હાજર રહેલા હતા.