ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE













મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાને તેના પતિ, સાસુ અને જેઠ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા મારકૂટ કરવામાં આવતી હતી જેથી પરિણીતામોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટના રહેવાસી અને હાલમાં માવતરના ઘરે ગોંડલ ખાતે રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (38) મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીગ્નેશભાઈ મનજીભાઈ કડીવાર રહે.બધા ઋષિકેશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 502 લીલાપર કેનાલ રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના પતિ, સાસુ અને જેઠ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તેને હેરાન પરેશાન કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મેણાં ટોણાં મારીને મારકૂટ કરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા આઈ.ટી.આઈ. થી ઉમા રેસીડેન્સીના રસ્તે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ભરત પ્રભાતભાઈ ડાંગર (૨૬) રહે.શિવમ હોસ્પિટલ પાસે ગાયત્રીનગર મોરબીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં ભગીરથ ભરતભાઈ કોળી નામમાં ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પાસેના પ્રેમજીનગરમાં રહેતા મહેશભાઈ તળશીભાઇ પરમાર નામનો ૪૦ વર્ષનો યુવાન ઘર નજીક હતો ત્યાં મારામારીમાં ઈજા થઈ હોય અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો તેમ પોલીસે જણાવે છે અને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News