ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત


SHARE













મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ફગસીયા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને બાથરૂમમાં પોતે પોતાની જાતે કોઈપણ ઇન્જેક્શન મારી લીધું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યુ ઇન્જેક્શન માર્યું હતું ? અને શા માટે માર્યું હતું ? તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા નજીક રોલેક્સો પોલિપેક નામના કારખાનામાં રહેતા અને કામ કરતા બલવીંદર ધીરાસિંહ (27) નામના યુવાને ગઈકાલે મોડી સાંજના સમયે કોઈપણ કારણોસર કારખાનાના બાથરૂમની અંદર પોતે પોતાની જાતે કોઈપણ જાતનું ઇન્જેક્શન મારી લીધું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં રામજીભાઈ રાજપુત (૩૩) રહે.લીલાપર ચોકડી પાસે ને ઈજા થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હત.જ્યારે મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ પાસે આવેલ સિરામિક કારખાનામાંં મજૂરી કામ કરતા નારણભાઈ લુતનભાઇ પ્રસાદ (૬૫) ને રોડ ઉપરથી જતા વખતે અજાણ્યા બાઇકના ચાલકે હડફેટે લેતા સારવાર માટે લવાયા હતા.






Latest News