મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ૯ બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ૯ બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નીચી માંડલ પાસે સિરામિક કારખાનામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી જેના આધારે જુદીજુદી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી ત્યારે તે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા અને પછી તેના આધાર કાર્ડ સહિતના પુરાવા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે નવ બાળકોને કામે લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી અમદાવાદની એનજીઓના સભ્ય દ્વારા મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે રામેસ્ટ ગ્રેનાઇટો નામના કારખાનાની અંદર બાળ મજૂરી કરવામાં આવી રહી છે તેવી બચપન બચાવો આંદોલનને માહિતી મળી હતી જેથી કરીને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલબચપન બચાવો આંદોલનએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ લાઇનની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાના જુદાજુદા વિભાગોની અંદર બાળ મજૂરો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી ૨૦ જેટલા બાળકોને સરકારી વાહનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવીને આગળની કાર્યવાહી કરી હતી અને આધાર કાર્ડ સહિતના પુરાવા ચેક કરવામાં આવ્યા હતા દરમિયાન નવ બાળકોની ઉંમર ૧૮ વર્ષથી નાની હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શાંતિ કોમ્પ્લેક્ષમાં રહેતા દામિનીબેન વિજયભાઈ પટેલ (૫૧) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુભાઈ, ગણેશભાઈ, બાપુસિંગ અને શંકરભાઈ રહે. બધા હાલ રામેસ્ટ ગ્રેનાઇટો વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.








Latest News