ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો


SHARE















મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો

આ કેસની હકીકત એવી છે કે વાદી વિરજીભાઈ કાનજીભાઈ પરમાર રહે.મોર ભગતની વાડી શકત શનાળાની બાજુમાં મોરબી વાળાએ તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રે.દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૫ દાખલ કરી મોરબી તાલુકાના વજેપર ગામતળની નવી શરતની જમીન જે ગોકુળનગર તરીકે ઓળખાય છે.તે માહેના પ્લોટ નંબર-૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબ્જો ભોગવટો વાદીનો છે.તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ નંબર ૧૦૧/૨૦૧૫ દાખલ કર્યો હતો જે કૈસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ કરેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ કરેલ પુરાવાઓને ધ્યાને લઇને પ્રતિવાદી નંબર ૧ થી ૩ ના વકીલ બી.બી.હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો કાયમી મનાઇ હુકમ માટેનો દાવો ના મંજુર કરતો હુકમ ગત તા.૩૧-૩-૨૨ ના રોજ ફરમાવ્યો હતો.આ કામમાં પ્રતિવાદી નંબર ૧ થી ૩ તરફેથી મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News