મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા કાલે ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે
મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650032595.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો
આ કેસની હકીકત એવી છે કે વાદી વિરજીભાઈ કાનજીભાઈ પરમાર રહે.મોર ભગતની વાડી શકત શનાળાની બાજુમાં મોરબી વાળાએ તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રે.દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૫ દાખલ કરી મોરબી તાલુકાના વજેપર ગામતળની નવી શરતની જમીન જે ગોકુળનગર તરીકે ઓળખાય છે.તે માહેના પ્લોટ નંબર-૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબ્જો ભોગવટો વાદીનો છે.તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ નંબર ૧૦૧/૨૦૧૫ દાખલ કર્યો હતો જે કૈસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ કરેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ કરેલ પુરાવાઓને ધ્યાને લઇને પ્રતિવાદી નંબર ૧ થી ૩ ના વકીલ બી.બી.હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો કાયમી મનાઇ હુકમ માટેનો દાવો ના મંજુર કરતો હુકમ ગત તા.૩૧-૩-૨૨ ના રોજ ફરમાવ્યો હતો.આ કામમાં પ્રતિવાદી નંબર ૧ થી ૩ તરફેથી મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)