મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત
મોરબીના મહેન્દ્રનગર પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ
SHARE
મોરબીના મહેન્દ્રનગર પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ભક્તિનગર-2 સોસાયટીમાં રાત્રિના સમયગાળા દરમિયાન વીજવાયર તૂટીને ઘર પાસે પાર્ક કરેલા વાહન ઉપર પડ્યો હતો જેથી કરીને ત્યાં મૂકવામાં આવેલા બાઇક અને સ્કૂટરની અંદર આગ લાગી હતી અને તે બંને વાહનો બળીને ખાખ થઈ ગયા છે મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ભક્તિનગર-2 માં રહેતા ભાવેશભાઈ થરેસા પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓના ઘરની પાસે તેમણે બાઈક અને સ્કૂટરને રાત્રિ દરમિયાન પાર્ક કરીને મૂક્યા હતા અને રાત્રીના અંદાજે ત્રણેય વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે પીજીવીસીએલના થાંભલામાંથી સર્વિસ વાયર તૂટીને નીચે પડ્યો હતો અને ત્યારબાદ ત્યાં નીચે રાખવામાં આવેલા બાઇક અને સ્કૂટરમાં આગ લાગી હતી જેથી આ બંને વાહનો બળીને ખાખ થઈ ગયા છે આ બનાવની રાત્રીના સમયે પીજીવીસીએલમાં પણ જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો.