મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા બ્લોક હેલ્થ મેળા યોજાશે


SHARE









મોરબી જિલ્લામાં લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા બ્લોક હેલ્થ મેળા યોજાશે

ભારત અને ગુજરાત સરકાર દ્વારા તા.૧૮/૪ થી તા.૨૨/૪ દરમ્યાન દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળાનાં આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં જુદા-જુદા તાલુકાઓમાં તાલુકા કક્ષાએ આરોગ્ય મેળા યોજવા માટેનું આયોજન કરાયેલ છે.

જે અનુસાર તા.૨૧/૪ ના રોજ મોરબી તાલુકામાં સરકારી હોસ્પિટલ મોરબી  ખાતે, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે તેમજ વાંકાનેર તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર ખાતે, તારીખ ૨૨/૪ નાં રોજ ટંકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે અને હળવદ તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ ખાતે આરોગ્ય મેળા યોજાનાર છે. આ મેળામાં વધુમાં વધુ લાભાર્થીઓએ  લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હિરાભાઈ ટમારિયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાનાં લોકોને  અપીલ કરવામાં આવેલ છે.

 

આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈ.ડી.કાર્ડ,PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે.જે માટે લાભાર્થીનું આઘાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો(ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહી) જેવા ડોક્યુંમેન્ટ સાથે જે વ્યકિતનું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે. જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન, લેબોરેટરી સેવાઓ, મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે. નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, બી.પી, કેન્સર, માનસિક રોગોનું નિદાન, ચેપી રોગો અને બિનચેપી રોગોનાં અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહિતી પૂરી પાડવામાં આવશે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે. પ્રજનન અને બાળ આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શાળા આરોગ્ય, વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી.મુક્ત ભારત વિગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. તમાકુ, આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. તેમ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News