મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

સુરત મ્યુનિ. કોર્પો.ના સદસ્ય અને આપના આગેવાન કિરણ ખોખાણી કાલે મોરબીમાં


SHARE









સુરત મ્યુનિ. કોર્પો.ના સદસ્ય અને આપના આગેવાન કિરણ ખોખાણી કાલે મોરબીમાં

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આપના ચૂંટાયેલા સભ્ય અને સોશીયલ મીડીયાની અંદર "રમતો જોગી" થી પોતાની ખ્યાતિ મેળવેલ કિરણ ખોખાણી કાલે મોરબી આવી રહ્યા છે અને ત્યારે તે આપના આગેવાનો, હોદેદારો અને આમ લોકોની સાથે ચર્ચા કરશે

આમ આદમી પાર્ટીના બેનર હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડીને પ્રચંડ મતોથી વિજય મેળવનાર કિરણ ખોખાણી આવતીકાલે મોરબી ખાતે ઉમા રિસોર્ટમાં આવી રહ્યા છે ત્યારે કિરણ ખોખાણીના જન સંવાદ કાર્યક્રમમાં આમ જનતા સાથે કિરણ ખોખર ચર્ચા કરશે જેમાં મુખ્ય મુદ્દોએ પણ રહેશે કે ગુજરાતની જનતાને કઈ પ્રકારની સરકાર જોઈએ છે ?

આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતું શિક્ષણ સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સારી સેવાઓ આપવાનો રહ્યો છે દિલ્હી બાદ પંજાબમાં પણ લોકોને ભારતના બંધારણ મુજબ સારી સુવિધાઓ મળી રહી છે ત્યારે આ અંગે ગુજરાત શું ઈચ્છી રહ્યું છે તેનો આ કાર્યક્રમમાં "જન સંવાદ" કરવામાં આવશે. આ કાર્યક્રમ તા ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ ખાતે રાખવામા આવેલ છે તેવું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને પરેશ પારીઆએ જણાવ્યુ છે.






Latest News