મોરબી નજીકના જામદુધઈ ગામે સ્વજનના સ્મણાર્થે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ
SHARE
મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ ૨૪ ના રોજ બિન સચિવાલય વર્ગ-૩ ની ભરતી માટે થઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને મોરબી જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે અને ત્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવે તેના માટે થઈને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ પરીક્ષામાં કામગીરી સોંપવામાં આવી હોય તેવા અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વંદે ગુજરાત ચેનલના માધ્યમથી લોકોને ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી આગામી તારીખ ૨૪ ના રોજ યોજાનાર બિન સચિવાલય વર્ગ-૩ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેના માટે મોરબી જિલ્લાના અધિકારીઓ હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે