મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ


SHARE







વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ

મોરબી જિલ્લાના લોકો માટે વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ માંગ કરી છે અને તેની લેખિત રજૂઆત વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને કરવામાં આવી છે જો આ સુવિધ આપવામાં આવે તો પેસેન્જરને ઘણો ફાયદો થાય તેમ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને લેખતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે,મોરબી જીલ્લાને રેલ્વે સુવિધામાં ખુબજ અન્યાય થઇ રહ્યો છે. મોરબીને લાંબા અંતરની ટ્રેઇનો આપવામાં આવેલ નથી અને ફક્ત એક કે બે ટ્રેઇનોને બાદ કરતા વધી જ ટ્રેન વાંકાનેરથી પકડવી પડતી હોય છે પરંતુ લાંબા અંતરની ઘણી બધી ટ્રેઇનોનો વાંકાનેરમાં સ્ટોપ આપવામાં આવેલો નથી તેમાં પણ વીકલી તો ઘણી ટ્રેઇનો છે પરંતુ તેનો સ્ટોપ વાંકાનેરમાં નથી. 

મોરબી એક સીરામિક ઉદ્યોગ નું  ભારત નું સૌથી મોટું ઉત્પાદક સેન્ટર છે. એટલે અન્ય રાજ્યો માંથી ઘણા વેપારીઓ તેમજ સીરામિકમાં રોજીરોટી રળતા મજુરો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. મોરબીના વેપારીઓ અને સેલ્સમેનો પણ પોતાના વ્યાપાર અર્થે અન્ય રાજ્યોમાં જવા માટે ટ્રેઇનોનો ઉપયોગ કરતા હોય છે. તેઓને વાંકાનેરને બદલે રાજકોટ આવવું જવું પડતું હોય છે. અને વાંકાનેર મોરબીથી ૨૮ કિમી થાય છે. જયારે રાજકોટ ૬૫ કિમી થાય છે. આમાં નાણાં અને સમયનો પણ બગાડ થાય છે. માટે વાંકાનેરમાં બધી જ ટ્રેઇનોને સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરી છે અને મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનના ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પાછો ખેચવાની માંગ કરી છે






Latest News