મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને ગુજરાત સ્થપના દિન ઉજવાયો
મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
SHARE









મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબી તાલુકાની શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળાના ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો આ શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારોહ આયોજિત થયો.પ્રાથમિક શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ અને ઘડતર માટેનું મૂલગત શિક્ષણ ગણાય છે.મોબાઈલમાં સેવ થયેલ કોઈ અંગત મિત્રનો નંબર ડિલીટ થઈ શકે છે પરંતુ,વિદ્યાર્થીના હૃદયમાં સેવ થયેલ તેની પ્રાથમિક શાળા અને શાળાના ગુરુજનો પ્રત્યેનો સ્નેહ જીવનભર ડિલીટ થતો નથી.આ વિદાય સમારોહમાં ઘો.૮ ના વિદ્યાર્થીઓ તરફથી શાળામાં તેમની યાદગીરી સ્વરૂપે શાળાને યુનિવર્સલ કંપનીનું રૂપિયા ૧૫૦૦૦/- ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પિત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાનના અનુભવો, પ્રતિભાવો અને સંસ્મરણો પ્રસ્તુત કર્યા હતાં. શાળાના મુખ્ય શિક્ષક ધર્મેન્દ્ર જી.જીવાણી તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૯ માં પ્રવેશ મેળવે અને અભ્યાસમાં ખૂબ આગળ વધી તેમના જીવનનું નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
