મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE















મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળાના ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો આ શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારોહ આયોજિત થયો.પ્રાથમિક શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ અને ઘડતર માટેનું મૂલગત શિક્ષણ ગણાય છે.મોબાઈલમાં સેવ થયેલ કોઈ અંગત મિત્રનો નંબર ડિલીટ થઈ શકે છે પરંતુ,વિદ્યાર્થીના હૃદયમાં સેવ થયેલ તેની પ્રાથમિક શાળા અને શાળાના ગુરુજનો પ્રત્યેનો સ્નેહ જીવનભર ડિલીટ થતો નથી.આ વિદાય સમારોહમાં ઘો.૮ ના વિદ્યાર્થીઓ તરફથી શાળામાં તેમની યાદગીરી સ્વરૂપે  શાળાને યુનિવર્સલ કંપનીનું રૂપિયા ૧૫૦૦૦/- ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પિત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાનના અનુભવો, પ્રતિભાવો અને સંસ્મરણો પ્રસ્તુત કર્યા હતાં. શાળાના મુખ્ય શિક્ષક ધર્મેન્દ્ર જી.જીવાણી તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા  વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૯ માં પ્રવેશ મેળવે અને અભ્યાસમાં ખૂબ આગળ વધી તેમના જીવનનું નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News