મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા ઈલેક્ટ્રીક શોટ સર્કીંટથી કારખાનામાં આગ : ૨૫ લાખનું નુકસાન


SHARE















મોરબીના સામાકાંઠા ઈલેક્ટ્રીક શોટ સર્કીંટથી કારખાનામાં આગ : ૨૫ લાખનું નુકસાન

મોરબીના સામાકાઠે વાંકાનેર હાઇવે ઉપર વિશાલ ફર્નીચરની પાછળ આવેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટને લીધે આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાની વસ્તુઓ આગમાં સ્વાહા થઇ જતા કારખાનેદારે આ અંગે પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ચકમપર (જી.) ના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમાં ટાઉનશિપમાં રહેતા યોગેશભાઈ કાંતિલાલ દેત્રોજા પટેલ નામના ૩૪ વર્ષીય યુવાને જાણ કરી હતી કે વિશાલ ફર્નિચરની પાછળ આવેલા તેમના ઉમા ડેકોર નામના યુનિટમાં ઈલેક્ટ્રીક સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આગ લાગતા પ્રિન્ટીંગ વિભાગમાં રહેલ મોટા કેરબામાં ભરેલ કેમિકલ, તૈયાર-કાચો માલ તેમજ યુનીટમાં મશીનરી સહિતની વસ્તુઓમાં આગના લીધે અંદાજે ૨૦ થી ૨૫ લાખનું નુકસાન થવા પામેલ છે જે અંગે નોંધ કરીને હાલમાં હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગરે તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે થયેલ મારામારીના બનાવમાં વજાભાઇ નવઘણભાઈ ખાંભલા (રહે.લીલાપર) નામના ૨૯ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે વાંકાનેરના લાકડધાર ગામના રિતિક ભરતભાઈ નામના છ વર્ષના બાળકને સુંદરી ભવાની પ્રાથમિક શાળા પાસે વાહન અકસ્માતમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ લજાઈ ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં મુકેશભાઈ રવજીભાઈ મકવાણા નામના ૪૫ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીં સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

જોડીયા નજીકના જામસર ગામના હિતેશ વિનોદ રાઠોડ નામનો ૩૨ વર્ષીય યુવાન ગામમાંથી મોરબી આવતો હતો ત્યારે થાવરીયા ગામ પાસે તેનો પ્ તેને ઈજાઓ થતા સારવાર માટે લઇ જવાયો હતો જ્યારે મોરબીના રેલવે સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં વીસીપરા મહેતા રવિ લાભુ દેવીપુજક ના આઠ વર્ષના બાળકને ઈજાઓ પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમજ હળવદના સુંદરી ભવાની ગામે રહેતી સોનાબેન વિક્રમ ભાઈ આંબાભાઈ બામણીયા નામની 29 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીં મંગલમ હોસ્પિટલ લાવવામાં આવી હતી.






Latest News