ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો


SHARE













વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો

વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામની સીમમાં આવેલ બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં હોટલની બાજુમાં સરકારી ખરાબની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે ૭૦ બોટલ દારૂ અને ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ ર૮૭૫૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે. 

વાંકાનેર પોલીસે સ્ટેશનમાં ફરજા બજાવતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુકત બાતમી હકીકત મળેલ હતી કે વઘાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તાની બાજુમાં બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા રહે. હાલ બાબા રામદેવ હોટલ મુળ રહે. રાજસ્થાન વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામાં દારૂનો જથ્થો દાટી રાખ્યો છે અને તેમાથી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને ચોકકસ બાતમી આધારે દારૂની રેઈડ કરતા બાબા રામદેવ હોટેલની પાછળના ભાગે ખરાબાની જમીનમાંથી ભારતિય બનાવટની શીલપેક ૭૦ બોટલો તથા ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ બીયર અને મોબાઈલ સાથે આરોપી મદનલાલ નરસીહરામ જાતે મીણા (ઉ.૨૫) રહે. હાલ વઘાસીયા ટોલનાકા પાસે મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલ વાળાની ર૮૭૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડ, હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, ભરતભાઈ આપાભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News