માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો


SHARE















વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો

વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામની સીમમાં આવેલ બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં હોટલની બાજુમાં સરકારી ખરાબની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે ૭૦ બોટલ દારૂ અને ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ ર૮૭૫૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે. 

વાંકાનેર પોલીસે સ્ટેશનમાં ફરજા બજાવતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુકત બાતમી હકીકત મળેલ હતી કે વઘાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તાની બાજુમાં બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા રહે. હાલ બાબા રામદેવ હોટલ મુળ રહે. રાજસ્થાન વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામાં દારૂનો જથ્થો દાટી રાખ્યો છે અને તેમાથી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને ચોકકસ બાતમી આધારે દારૂની રેઈડ કરતા બાબા રામદેવ હોટેલની પાછળના ભાગે ખરાબાની જમીનમાંથી ભારતિય બનાવટની શીલપેક ૭૦ બોટલો તથા ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ બીયર અને મોબાઈલ સાથે આરોપી મદનલાલ નરસીહરામ જાતે મીણા (ઉ.૨૫) રહે. હાલ વઘાસીયા ટોલનાકા પાસે મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલ વાળાની ર૮૭૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડ, હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, ભરતભાઈ આપાભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News