માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સરતાનપર નજીક આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજીને યુવાનને માર મારીને કરી નાખી હત્યા


SHARE















વાંકાનેરનાં સરતાનપર નજીક આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજીને યુવાનને માર મારીને કરી નાખી હત્યા

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રાત્રિના સમયે સૂતેલ મહિલા અને તેની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા ગોદડું ખેંચવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ બૂમા બૂમ કરી મૂકી હતી અને મહિલાના પતિ સહિતના પાંચ શ્ખ્સોએ ત્યાં આવીને અજાણ્યો શખ્સ ચોરી કરવા માટે આવ્યો છે તેવું સમજીને તેને માર માર્યો હતો જેથી કરીને અજાણ્યા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું હાલમાં આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કારખાનેદારની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા જાતે પટેલ (ઉ.૨૫)એ હાલમાં બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, અસલમ જાબુદીન મલીક, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ રહે. ચારેય મૂળ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ રહે. મૂળ અજમેર રાજસ્થાન વાળાની  સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૯/૭ ના રોજ રાતે ૨થી ૩ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મરણ જનાર અજાણ્યો આશરે ૨૫થી ૩૫ વર્ષનો પૂરૂષ આવ્યો હતો અને આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડુ ખેંચતા તેઓ જાગી ગયા હતા અને દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ છે તેવું બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ધરનાસિંહ અને અસલમ જાબુદીન મલીકએ તેને પકડીને લાકડી વતી માર માર્યો હતો અને તેનું માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવમાં કારખાનેદારની ફરિયાદ લેવામાં આવી છે અને પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨૩૨૩૧૪૩૧૪૭૧૪૮૧૪૯જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News