મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE













માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે ત્યારે યજ્ઞ અને જીર્ણોધાર સહિતની વિધિ કરવામાં આવશે અને ત્યારે મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના ભાજપ આગેવાનો, હોદેદારો સહિતના અગ્રણીઓ હાજર રહેશે

માળિયા(મી.) તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા, કોમલબેન સુભાષભાઈ પડસુંબિયામૈત્રી સુભાષભાઈ પડસુંબિયા અને ઓમકુમાર સુભાષભાઈ પડસુંબિયા દ્વારા માળીયા(મી.)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ અને જીર્ણોધાર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ ધર્મ સભાનું આયોજક સમસ્ત ભાવપર ગામ દ્વારા કરવામાં આવ્યું છે આગમી તા ૧૫ ને રવિવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી હસુભાઈ પંડ્યા ઉપસ્થિત રહેવાના છે અને ધર્મ સભામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાસાંસદ મોહનભાઇ કુંડારીયાગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જ્યંતિભાઈ કવાડીયામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ક્રુભકોના ડાયરેક્ટર મગનલાલ વડાવીયા હાજર રહેશે. તે ઉપરાંત સંતોમાં જુનાગઢ ગિરનારી આશ્રમના ગુરુદેવ હેતનાથબાપુ, બગથળા નકલંક મંદિરના મહંત દમજી ભગત સહિતના હાજર રહેશે ત્યારે આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા અને સમસ્ત ભાવપર ગામ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે








Latest News