મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વીસીપારમાં રસ્તા ઉપર વહેતો વિકાસ દેખાયો !


SHARE













મોરબીના વીસીપારમાં રસ્તા ઉપર વહેતો વિકાસ દેખાયો !

છેલ્લા વર્ષોમાં મોરબી શહેરમાં ભૂગર્ભની સમસ્યાઓને ઉકેલવા માટે પાલિકા દ્વારા લાખો નહી પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરી નાખવામાં આવેલ છે જો કે, આજની તારીખે મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર વહેતા હોય અથવા તો ભરાયેલા હોય તેવું જોવા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીના વીસીપારમાં એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ઓફિસ સામે મુખ્યમાર્ગ ઉપર મોરબી નગરપાલિકાની બેદરકારીના લીધે વહેતો વિકાસ દેખાઇ રહયો છે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા હોવાથી લોકોને ના છૂટકે તે ગંદકીમાંથી પસાર થવું પડે છે અને સમસ્યાના લીધે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત મેરિટાઇમ બોર્ડેનો મુખ્ય દરવાજો આવન જાવન માટે બંધ કરી દેવામાં આવેલ છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હવે તો પાલિકામાં વિપક્ષ પણ નથી તો પણ આ વહેતો વિકાસ બંધ કેમ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે








Latest News