મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો


SHARE











મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામે યુવાન એકલો રહેતો હોય અને તેનાં ઘરમાંથી જ તેનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

ટંકારા પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા પાછળ અમરેલી રોડ ભીમરાવનગરમાં રહેતા ચેતનભાઇ ગિરીશભાઇ ચાવડા નામના યુવાને પોલીસમાં જાણ કરીને જણાવ્યું હતું કે, તેમના ભાઈજીનો દીકરો જીતેન્દ્ર માવજીભાઇ ચાવડા (ઉંમર ૩૬) કે જે વીરપર ગામે એકલવાયુ જીવન જીવતો હોય અને તેનો તેના જ ઘરમાં કોઈ કારણસર ગુજરી ગયેલી હાલતમાં કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોય દુર્ગંધ આવતા આસપાસના પડોશીઓએ ચેતનભાઇને જાણ કરતાં પોતે સ્થળ ઉપર ગયો હતો અને બાદમાં ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.બનાવને પગલે ટંકારા પોલીસ મથકના એમ.પી.ચાવડાએ બનાવની નોંધ કરીને કયા કારણોસર જીતેન્દ્રભાઈ માવજીભાઈ ચાવડાનું મોત નિપજેલ છે તેની હકીકત મેળવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ગુમ થયેલ સગીરા મળી આવી

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા મૂળ દાહોદના પરિવારની સગીરા ગત તા.૧૦-૬ ના રોજ ગુમ થતા પરિવાર દ્રારા ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં બનાવ સંદર્ભે સગીરાના પરિવારે પોલીસને જાણ કરી હતી કે તેઓ જયાંના મૂળ રહેવાસી છે તે દાહોદના લીમખેડાના વિસ્તારમાંથી જ સગીરા મળી આવેલ છે. જેથી હાલ ટંકારા પોલીસે તે અંગે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી મયુર પ્રાણજીવન પટેલ નામનો ૨૪ વર્ષનો યુવાન પીપળીયા ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મયુર પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મંજુલાબેન ભરતભાઈ મકવાણા નામની ૩૨ વર્ષીય મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News