મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામે યુવાન એકલો રહેતો હોય અને તેનાં ઘરમાંથી જ તેનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

ટંકારા પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા પાછળ અમરેલી રોડ ભીમરાવનગરમાં રહેતા ચેતનભાઇ ગિરીશભાઇ ચાવડા નામના યુવાને પોલીસમાં જાણ કરીને જણાવ્યું હતું કે, તેમના ભાઈજીનો દીકરો જીતેન્દ્ર માવજીભાઇ ચાવડા (ઉંમર ૩૬) કે જે વીરપર ગામે એકલવાયુ જીવન જીવતો હોય અને તેનો તેના જ ઘરમાં કોઈ કારણસર ગુજરી ગયેલી હાલતમાં કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોય દુર્ગંધ આવતા આસપાસના પડોશીઓએ ચેતનભાઇને જાણ કરતાં પોતે સ્થળ ઉપર ગયો હતો અને બાદમાં ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.બનાવને પગલે ટંકારા પોલીસ મથકના એમ.પી.ચાવડાએ બનાવની નોંધ કરીને કયા કારણોસર જીતેન્દ્રભાઈ માવજીભાઈ ચાવડાનું મોત નિપજેલ છે તેની હકીકત મેળવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ગુમ થયેલ સગીરા મળી આવી

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા મૂળ દાહોદના પરિવારની સગીરા ગત તા.૧૦-૬ ના રોજ ગુમ થતા પરિવાર દ્રારા ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં બનાવ સંદર્ભે સગીરાના પરિવારે પોલીસને જાણ કરી હતી કે તેઓ જયાંના મૂળ રહેવાસી છે તે દાહોદના લીમખેડાના વિસ્તારમાંથી જ સગીરા મળી આવેલ છે. જેથી હાલ ટંકારા પોલીસે તે અંગે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી મયુર પ્રાણજીવન પટેલ નામનો ૨૪ વર્ષનો યુવાન પીપળીયા ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મયુર પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મંજુલાબેન ભરતભાઈ મકવાણા નામની ૩૨ વર્ષીય મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.








Latest News