મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !


SHARE













મોરબીના વીસીપરા, રોહિદાસપરાવિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !

મોરબીના લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવાની જવાબદારી પાલિકાની છે જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે આજની તારીખે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે જેમાં વિસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને અહી પાલિકા દ્વારા દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે જેથી કરીને પાણીજન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે


મોરબીના વીસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં પીવા અને વાપરવા માટે પાલિકાની પાઇપ લાઇન મારફતે દૂષિત પાણી આપવામાં આવી રહયું છે અને આ વિસ્તારમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ શરૂ ન હોવાથી દરેક પરિવારને વેચાતું પાણી લેવું પોસાઈ તેમ નથી અને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવા લાયક હોતું નથી જેથી કરીને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News