મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !


SHARE







મોરબીના વીસીપરા, રોહિદાસપરાવિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !

મોરબીના લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવાની જવાબદારી પાલિકાની છે જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે આજની તારીખે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે જેમાં વિસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને અહી પાલિકા દ્વારા દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે જેથી કરીને પાણીજન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે


મોરબીના વીસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં પીવા અને વાપરવા માટે પાલિકાની પાઇપ લાઇન મારફતે દૂષિત પાણી આપવામાં આવી રહયું છે અને આ વિસ્તારમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ શરૂ ન હોવાથી દરેક પરિવારને વેચાતું પાણી લેવું પોસાઈ તેમ નથી અને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવા લાયક હોતું નથી જેથી કરીને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News