મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત


SHARE















 

મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત

મોરબી અને માળીયામાં નર્મદા કેનાલ આવે છે જો કે, હાલમાં તેમાં પાણી છોડવામાં આવેલ નથી જેથી કરીને રાજ્ય મંત્રી સહિતના આગેવાનો દ્વારા સિંચાઇ મંત્રીને રજુઆત કરવામાં આવી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ છે કે, મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવા માટે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાએ સિંચાઇ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ખેડૂતોના પ્રશ્નને ધ્યાન દોરેલ હતું. એટલુ જ નહિ પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાને પણ ખેડૂતોની આજીવિકાના હાલના પ્રાણ પ્રશ્ન એવા નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગેની બાબતને ધ્યાને મૂકી હતી.






Latest News