મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસેથી અશોક લેલન નાની માલ વાહક ગાડી લીલું ઘાસ લઈને જતી હતી જેને રોકીને તલાશી લેવામાં આવી હતી ત્યારે લીલા ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને વાહનમાથી દારૂની નાની મોટી ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ,૩૮,૦૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨,૪૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

 મોરબી એલ.સી.બી.ની ટીમના જયેશભાઇ વાઘેલા તથા વિક્રમભાઇ કુગશીયાને ખાનગી બાતમી મળી હતી કેચોટીલા તરફથી એક નંબર વગરની અશોક લેલન નાની માલ વાહક ગાડીમાં લીલા ઘાસની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબી તરફ આવવાનો છે જેથી કરીને એલસીબીની ટીમ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે વોચમાં હતી અને બાતમી વાળું વાહન નીકળતા રેઇડ કરતા અશોક લેલન દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી ,૩૮,૦૦૦ નો દારૂ અને  મોબાઇલ તેમજ વાહન મળીને કુલ ૨,૪૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને દારૂના જથ્થા સાથે પોલીસે હાલમાં ઇમરાન ભાઇજાન રજાકભાઇ મેમણ (ઉ.૩૨) રહે. ચોટીલાઘાંચીવાડ શેરી નં-૫ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરીવિક્રમસિંહ બોરાણાજયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ કુગશીયાનિર્મળસિંહ જાડેજાબ્રિજેશ કાસુન્દ્રા વિગેરેએ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News