વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ
SHARE








મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ
હાલમાં કોરોનાને લઈને લોકોના મેળાવડા થાય તેવા કાર્યક્રમનો બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે દરવર્ષે અષાઢી બીજના દિવસે મોરબીમાં રબારી- ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તે રથયાત્રા ગતવર્ષે બંધ રાખવામા આવી હતી તેવી જ રીતે આ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવેલ છે હાલમાં સરકારી ગાઇડ લાઇન મુજબ વધુ લોકો ભેગા થાય તેવા કાર્યકમ યોજવાના નથી જેથી મોરબી મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા મોકુફ રાખવામાં આવે છે માટે ગુજરાતભરમાંથી આવતા લોકોને મહંત ગાડુભગત બીજલભગત, મચ્છુ મિત્ર મંડળ અને મચ્છુ માતાજીની જગ્યાના સંચાલકો વતી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે

