મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું  ? તે અંગે માર્ગદર્શન આપવા મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્થાને સેમિનાર યોજાયો હતો.

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે મૂંઝવણો અનુભવતા હોય છે તો તે અંગે માહિતી અને માર્ગદર્શન  માટેના આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની બેહેનોની પ્રાર્થના બાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વે મહેમાનોનું શબ્દોથી સ્વાગત દેવેશભાઈ કંઝારિયાએ કર્યુ હતુ.આ પ્રસંગે ધોરણ ૧૦ પછી શું કરી શકાય ? તે અંગે યોગેશભાઈ કંઝારિયાએ વિસ્તૃત માહીતી આપી હતી.ત્યારબાદ ધોરણ ૧૨ પછી વિશાળ તકોની વાત શ્રી એમ.એમ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર પ્રો.ડો. શર્માએ અનેક નવી તકોની ચર્ચા કરી હતી.

ધોરણ ૧૦ પાસ કે નપાસ વિદ્યાર્થીઓ માટે સ્વરોજગારી માટે આઇટીઆઇમાં વિશાળ તકોની વાત દેવેશભાઈ કંઝારિયાએ કરી હતી, ગ્રેજ્યુએટ પછી વિશાળ તકો અંગે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી તથા શ્રી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.ગરમોરાએ વિસ્તૃત માહિતી આપી હતી. આજના યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી ? તે અંગેની માહિતી જામજોધપુર કોલેજના પ્રો.ડો.સુનીતાબેન કંઝારિયાએ આપી હતી.મોરબી જિલ્લાના રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયાએ સ્વરોજગારી નોંધણી અને ભરતી અંગે માહિતી આપી હતી તેમજ જગદીશભાઈ સોનગ્રાએ સીએ, સીએસ, સીડબલ્યુએ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે જ્ઞાતિના અને કાર્યક્રમના પ્રમુખશ્રી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઇએ, એડમિશન જ્યાં લેવું હોય તેના ફોર્મ સમયસર ભરી દેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ.જે વિદ્યાર્થી મિત્રો દસ-બાર કલાક મહેનત કરતા હશે.તેઓ જરૂર સફળ થશે જ કારણ કે એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે.કાર્યક્રમના અંતમાં દરેક વક્તાઓનુ પ્રમુખના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી રમેશભાઇ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦-૧૨ અને કૉલેજ પછી શું કરી શકાય. ? તે અંગેના પેમ્પલેટ વગેરે સાહિત્ય આપવામાં આવેલ.કાર્યક્રમના અંતમાં સર્વે મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનો કેતનભાઇ પરમારે આભાર માનેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કર્યુ હતુ.








Latest News