વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ


SHARE

















મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે મહેશ નવમી નિમિત્તે મહેશ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ મહેશ નવમીના દિવસે મોરબી શહેરના શનાળા રોડ અને રવાપર રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોરબીમાં રહેતા માહેશ્વરી સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા અને વાજતેગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારબાદ મોરબીમાં આવેલ લૂહાર જ્ઞાતિની વાડી ખાતે માહેશ્વરી સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા તેમજ મોરબી માળીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયા, પિયુષભાઈ કૈલા, હરીશભાઇ કૈલા જયસુખભાઇ કૈલા, રાજભાઈ આસનાની અને મયુરભાઈ માહેશ્વરી સહિતના સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News