મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ


SHARE











મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે મહેશ નવમી નિમિત્તે મહેશ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ મહેશ નવમીના દિવસે મોરબી શહેરના શનાળા રોડ અને રવાપર રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોરબીમાં રહેતા માહેશ્વરી સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા અને વાજતેગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારબાદ મોરબીમાં આવેલ લૂહાર જ્ઞાતિની વાડી ખાતે માહેશ્વરી સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા તેમજ મોરબી માળીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયા, પિયુષભાઈ કૈલા, હરીશભાઇ કૈલા જયસુખભાઇ કૈલા, રાજભાઈ આસનાની અને મયુરભાઈ માહેશ્વરી સહિતના સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News