મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાપુના બાવલા પાસે ઉભેલા યુવાનને છ શખ્સોએ લાકડી વડે માર માર્યો: રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં બાપુના બાવલા પાસે ઉભેલા યુવાનને છ શખ્સોએ લાકડી વડે માર માર્યો: રાયોટિંગનો ગુનો નોંધાયો

વાંકાનેરમાં બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે ઉભેલા યુવાનના પિતા સાથે પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને છ શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાને માર માર્યો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાનાં પીપળીયારાજ  ગામે રહેતા યુવાને મોહમ્મદસીરાજભાઈ યુનુસભાઈ શેરસીયા જાતે મોમીન (ઉ.૩૦)એ મામદ હુશેનભાઈ લાખા, ઈસ્માઈલ અસ્લમ, આદીલ કરીમ લાખા, મુનાફખાન યુસુફખાન, ફીરદોશ મુનાફ જુણેજા અને એક અજાણ્યો શખ્સ રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા સાથે પાંચેક વર્ષ પહેલા આરોપીઓને મારા-મારી થયેલ હતી જેનો રોષ રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન વાંકાનેરમાં બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે ત્યાં આવીને લાકડી જેવા હથિયાર ધારણ કરીને ફરિયાદી યુવાનની સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ-૧૪૩૧૪૭૧૪૮૧૪૯૩૨૩૫૦૪૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 








Latest News