વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું


SHARE

















મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કમાં રહેતા યુવાને ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરત ન આપી શકતા પૈસા આપનાર શખ્સે અવારનવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના ઘરે આવીને યુવાન હાજર ન હોય તેની પત્ની અને માતાને ગાળો આપીને પૈસા આપી દેજો નહિતર મકાન ખાલી કરાવી દઈશ અને લાખાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી મનોમન લાગી આવતા યુવાને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં યુવાને મોરબી આ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા લાખાભાઈ ખીમાભાઈ કુંભરવાડિયા જાતે બોરીચા (૩૭)એ કાનાભાઈ મોહનભાઈ ગોગરા રહે. શનાળા વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દોઢ-બે વર્ષ પહેલાં તેમણે કાનાભાઇ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને હાલમાં તે પરત આપી શકે તેમ નથી જેથી રૂપિયા પરત આપેલ ન હોય અવારનવાર કાનાભાઈ દ્વારા લાખાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને આઠ દિવસ પહેલા કાનાભાઈ લાખાભાઈના ઘરે ગયા હતા ત્યારે લાખાભાઈ હાજર ન હોય તેના પત્ની અને માતાની હાજરીમાં ગાળો બોલીને રૂપિયા આપી દેજો નહિતર મકાન ખાલી કરાવી દઈશ અને લાખાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી કરીને લાખાભાઈને મનોમનમાં લાગી આવતાં તેને ફિનાઇલ લેતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ લાખાભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ ગોગરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આઇપીસી કલમ ૫૦૪  અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News