મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં રહેતા યુવાને ધંધામાં મંદી આવતા મચ્છુ-૨ ડેમમાં પડીને કર્યો આપઘાત


SHARE







મોરબીના રવાપરમાં રહેતા યુવાને ધંધામાં મંદી આવતા મચ્છુ-૨ ડેમમાં પડીને કર્યો આપઘાત

મોરબીના રવાપર ગામે રહેતા યુવાનના ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકડામણ હતી જેનાથી કંટાળીને યુવાને મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને ડેમના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં અમૃત હાઈટસ બ્લોક નંબર ૫૦૨ માં રહેતા અને મૂળ ટંકારના હીરાપરના વતની જીતેન્દ્રભાઇ કેશવજીભાઇ લોહ જાતે પટેલ (ઉમર ૨૭) એ મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મચ્છુ-૨ ડેમના પાણીમાંથી બહાર કાઢીને પી.એમ. માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક યુવાનના ભાઈ સાવનભાઈ કેશવજીભાઇ લોહ (ઉમર ૩૦) રહે. ક્રિષ્ના સ્કૂલની બાજુમાં અમૃત હાઇટ્સ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને વેબ ડીજાઇનિંગનો ધંધો હતો અને ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણ હતી અને આર્થિક સંકડામણથી કંટાળી જઈને પોતે પોતાની જાતે મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત કરેલ છે

દેશીદારૂ

મોરબીના વિરપર ગામ પાસે આવેલી વિરાટ હોટલ સામેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી એક હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૨૬) રહે. શનાળા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News