મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષોથી ભાડા ભરતા પરિવારોનું ઘરના ઘરનું સપનું સરકારે સાકાર કર્યું: બ્રિજેશભાઇ મેરજા


SHARE











મોરબીમાં વર્ષોથી ભાડા ભરતા પરિવારોનું ઘરના ઘરનું સપનું સરકારે સાકાર કર્યું: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હરભોલે હૉલ ખાતે આજે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરના ઘરની ચાવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે સોપવામાં આવી હતી ત્યારે વર્ષોથી ભાડા ભરતા પરિવારને ઘરના ઘરનું સપનું સરકારની યોજના હેઠળ સાકર થયું હતું જેથી કરીને તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો

ગરીબ પરિવારોનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય તે સરકાર દ્વારા ગામોગામ નવી આવાસ યોજના બનાવવામાં આવી રહી છે તેવી જ રીતે મોરબીમાં કામધેનું પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂર કરવામાં આવી હતી અને ૬૭.૭૭ કરોડના ખર્ચે મકાન બનાવવાના હતા જે પૈકીનાં તૈયાર થઈ ગયેલા અંદાજે ૧૫૦ જેટલા મકાનોનો આજથી લગભગ એકાદ વર્ષ પહેલા ડ્રો કરવામાં આવ્યો હતો જો કે, લાભાર્થીઓએ તેમને ભરવાના થતાં રૂપિયા હજુર સુધી જમા કરાવ્યા ન હોવાથી તેમણે કવાર્ટરનો કબજો સોપવામાં આવ્યો ન હતો જો કે, ૬૧ લાભાર્થીઓને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તેના મકાનના કબજા સોપવામાં આવેલ હતા ત્યારે પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા

ત્યારે મંત્રીએ પાલિકા તંત્રને મંત્રીએ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેની અમલવારી મોરબી પાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવી રહી છે જો કે, મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ૯૬૦ મકાન જે મંજૂર કરેલા હતા તે પાલિકાની બેદરકારીના લીધે નથી બનવાના તે બાબતે પૂછાતા મંત્રીએ કહ્યું હતું કે, કોઈ જગ્યાએ કોઈ ત્રુટિ હશે તો તેને સુધારીને પાલિકા દ્વારા લાભાર્થીઓને તેનો લાભ મળે તેવી કામગીરી કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી જો કે, જે લોકોને મકાન આપવામાં આવ્યા હતા તે લોકોને વર્ષોથી જે ભાડા ભરતા હતા તેમાંથી મુક્તિ મળી હોવાથી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News