મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક દુકાન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સોને લોકોએ ધોઈ નાખ્યા


SHARE













વાંકાનેરના સરતાનપર નજીક દુકાન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સોને લોકોએ ધોઈ નાખ્યા

મોરબી જીલ્લામાં પોલીસને તસ્કરો સતત પડકાર ફેંકી રહયા છે અને કોઇને કોઈ વિસ્તારમાં ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને લોકોએ હવે માલ મિલકતની સલામતી માટે ઉજાગરા શરૂ કર્યા છે અને રાતના સમયે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ તો તેને મેથી પાક ચાખડે છે આવી જ એક ઘટના વાંકાનેરના સરતાનપર ગામે બની હતી જેમાં રાતે દુકાન પાસે દેખાયેલા બે શખ્સને ઝડપી લીધા હતા અને તેને ધોઈ નાખ્યા હતા ત્યાર બાદ પોલીસને હવાલે કર્યા હતા

વાંકાનેરના સરતાનપર ગામ પાસે મોડીરાત્રીના ચોરી કરવા આવેલા હોય તેવા બે શખ્સ દુકાનો પાસે દેખાયા હતા અને ત્યાં જઈને લોકોએ તેને પૂછતાં તેના સગાની દુકાન છે તેવું કહ્યું હતું જેથી કરીને પકડાયેલા શખ્સો ખોટું બોલતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે કોણ છે અને કયાથી આવ્યા છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી તેમાં સંતોષકારક જવાબ નહિ મળતા ગામના લોકોએ તે શખ્સોને ધોઈ નાખ્યા હતા અને પછી વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા








Latest News