મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપુર નજીક વાડીએ ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE











હળવદના રાયસંગપુર નજીક વાડીએ ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં વાડીએ નદીકાંઠે કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા એમપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અલીકામત ગામના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રાયસંગપુર ગામે હમીરભાઇ ચૌહાણની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રવિભાઈ દિતુભાઈ વાસક્લ જાતે આદિવાસી (ઉંમર ૨૧) વાડીએ કામગીરી કરી રહ્યા હતા ત્યારે નદી કાંઠા પાસે તેને ઈલેક્ટ્રીક સોટ લાગવાના કારણે તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News