હળવદના રાયસંગપુર નજીક વાડીએ ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
મોરબી સહિત દેશમાં બાળમજૂરી રોકવી ન માત્ર સરકાર પરંતુ સમાજની પણ જવાબદારી: દેવેન રબારી
SHARE









મોરબી સહિત દેશમાં બાળમજૂરી રોકવી ન માત્ર સરકાર પરંતુ સમાજની પણ જવાબદારી: દેવેન રબારી
બાળકોને ઇશ્વરનું રૂપ કહેવામા આવે છે જો કે, વસતાવમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. અને શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં બાળકો જુદીજુદી જગ્યાએ મજૂરી કરતાં જોવા મળતા હોય છે આ સમાજની સૌથી મોટી દુર્દશા કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ખરેખર રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ વેડફાતી રહી છે તેની હાલમાં કોઈને પડી નથી. તેવું મોરબીમાં આવેલ યંગ ઈન્ડિયા ગ્રૂપના ડો.દેવેન રબારીએ જણાવ્યુ છે
જીવનનો મહામૂલો તબક્કો બાળપણ હોય છે જેનાથી અનેક બાળકોની વંચિત રહે છે અને નાની ઉમરે જ મજૂરી કામમાં જોતરી દેવામાં આવે છે તે વાસ્તવિકતા છે જો બાળમજૂરીને વહેલી તકે દૂર કરવા કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવે તો બાળમજૂરો રોકવા માટે કાયદા ઘણા બનાવવામાં આવેલ છે જો કે, કાયદાઓનું અસરકારક અમલીકરણ નથી થતું તે નિર્વિવાદિત વાત છે વર્ષોથી ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર બાળકોના ઉત્થાન માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે, જેનાથી બાળકોના જીવન તેમજ શિક્ષણમાં સકારાત્મક અસર જોવા મળે. શિક્ષણનો અધિકાર પણ બાળમજૂરી નાબૂદ કરવાની દિશામાં પ્રશંસનીય કાર્ય છે. તેમછતાં હજુ પણ બાળમજૂરીની સમસ્યા એક વિકટ સમસ્યા તરીકે તેમના બાળપણને નષ્ટ કરી રહી છે.
ભણવા અને રમવાની ઉંમરે બાળક મજૂરી કરે, અભણ રહી જાય અને પછી તેના બાળકની હાલત પણ તેના જેવી જ થાય. આ બાળમજૂર ભવિષ્યમાં અભણ મતદાર તથા નિષ્ક્રીય અજાગૃત નાગરીક બને. પરીણામે કુટુંબ, ગામ, સમાજ તથા દેશ બરબાદ થાય. વળી બાળમજૂરીને કારણે બાળકને નિશાળની તક ન મળે. પતંગ ચગાવવાની વયે તે પતંગ બનાવતો હોય છે. ફટાકડા ફોડવાની વયે તે ફટાકડા બનાવતો હોય છે. આમ સતત શોષણ, તણાવ અને હાડમારીમાં જીવતો બાળક દુઃખ ભૂલવા ખોટા માર્ગે ચડી વ્યસનોનો શિકાર થઈને ગુનાખોરી તરફ પણ ધકેલાઈ જાય છે.
બાળમજૂરી નાબૂદી અંગે મજૂરપંચે નિમેલ અભ્યાસુ જૂથના સૂર એવો હતો કે બાળમજૂરને શોષણ સામે રક્ષણ આપવા માત્રનું જ વિચારવાનું નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની ખાતરી બંધાવવાના વલણથી વિચારવુ જોઈએ. બાળમજૂરી દૂર કરવા વિષચક્રમાં ફસાયેલા ગરીબ-પછાત લોકોને ઉગારવા પડશે. સાથે સાથે વ્યાપક લોકો શિક્ષણ પણ એટલું જ જરૂરી બની જાય છે. બાળક સંપૂર્ણ, સંવેદનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપકવતા અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે તથા રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં તેની શું ભૂમિકા છે તે પણ સમજી શકે એવો નાગરિક બને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે
