મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને દિશા કમિટિની બેઠક યોજાઇ


SHARE













મોરબી જિલ્લામાં સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને દિશાકમિટિની બેઠક યોજાઇ

મોરબી જિલ્લામાં સાંસદની વિવિધ વિભાગોના આધિકારીઓની હાજરીમાં કલેકટર કચેરીના સભાખંડમાં દિશાકમિટિની બેઠક યોજાઇ હતી જેમાં ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે સાંસદે માહિતી મેળવી હતી અને પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી

આ બેઠકમાં શ્યામાપ્રસાદ મુખર્જી રુર્બન મિશન હેઠળ થયેલા કામોની વિગતો જાણી તેમાં નવી આંગણવાડીમાં બાંધકામ અને રિપેરીંગ અંગેના પ્રગતિ હેઠળના કાર્યો જલ્દીથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી જ્યારે મનરેગા યોજના હેઠળ રમત-ગમતના મેદાનો તેમજ સામૂહિક કામો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે આવાસોનું બાંધકામ બાકી રહી ગયેલ છે તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. મોરબી નગરપાલિકામાં જે પ્રોજેક્ટ અધુરા છે તેની સબંધિત એજન્સીને તે કામ જલ્દી થી પૂર્ણ કરવા તેમજ આ અંગે કમિટી બનાવી ૧૫ દિવસમાં અહેવાલ તૈયાર કરવા સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સૂચના આપી હતી.

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ દત્તક લીધેલા બાળકોને મળતા પોષણ અંગે જાણકારી મેળવી તેમજ તેમનું મોનીટરીંગ જાળવવા અને મધ્યાહન ભોજન અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ જે તે સંબંધિત વિભાગના અધિકારીઓને આપવામાં આવી હતી તેમજ ખાણ ખનીજ વિભાગ વિશે ચર્ચા કરી ઉપસ્થિત થતી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહીલે બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Latest News