મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત


SHARE













મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકારે ઓવરબ્રિજ તેમજ ફોરલેન મંજૂર કરેલ છે જો કે, હજુ સુધી તેના કામ શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને સામાજિક કાર્યકરે આ મુદે સીએમને રજૂઆત કરી છે અને વહેલી તકે કામ ચાલુ કરીને સમયસર પૂરા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબીમાં લોકોની સુખાકારી વધારવા માટે ધડોધડ જુદાજુદા કામ મંજૂર કરી લેવામાં આવેલ છે જો કે કામ ચાલુ કરવામાં આવતા નથી જેથી ટંકારના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં જીવલેણ અકસ્માતના લીધે અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ટ્રાફિકની માથું ફાડી નાખે તેવી છે જેથી કરીને મોરબીથી હળવદ રોડ ફોરલેન, મોરબીથી જેતપર રોડ ફોરલેન અને મોરબીથી નવલખી ફોરલેનનું કામ મંજૂર કરવામાં આવેલ છે જો કે, હજુ કામ શરૂ પણ કરવામાં આવ્યું નથી આવી જ રીતે મહેન્દ્રનગર અને નટરાજ પાસે ઓવરબ્રીજનું કામ મંજૂર કરેલ છે જો કે, તે કામ પણ શરૂ કરવામાં આવેલ નથી તેમજ મચ્છુ નદીમાં ચાર સ્થળે બેઠા પૂલ જેમાં જુના સ્મશાનથી સામાકાંઠે નવા સ્મશાન સુધી, મહાપ્રભુજીની બેઠકથી કાલીકા ઘાટ શીતળા માતાના મંદિર સુધી, રામ ઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ સુધી અને ભડીયાદ રોડથી લીલાપર રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે 








Latest News