મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત


SHARE







મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકારે ઓવરબ્રિજ તેમજ ફોરલેન મંજૂર કરેલ છે જો કે, હજુ સુધી તેના કામ શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને સામાજિક કાર્યકરે આ મુદે સીએમને રજૂઆત કરી છે અને વહેલી તકે કામ ચાલુ કરીને સમયસર પૂરા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબીમાં લોકોની સુખાકારી વધારવા માટે ધડોધડ જુદાજુદા કામ મંજૂર કરી લેવામાં આવેલ છે જો કે કામ ચાલુ કરવામાં આવતા નથી જેથી ટંકારના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં જીવલેણ અકસ્માતના લીધે અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ટ્રાફિકની માથું ફાડી નાખે તેવી છે જેથી કરીને મોરબીથી હળવદ રોડ ફોરલેન, મોરબીથી જેતપર રોડ ફોરલેન અને મોરબીથી નવલખી ફોરલેનનું કામ મંજૂર કરવામાં આવેલ છે જો કે, હજુ કામ શરૂ પણ કરવામાં આવ્યું નથી આવી જ રીતે મહેન્દ્રનગર અને નટરાજ પાસે ઓવરબ્રીજનું કામ મંજૂર કરેલ છે જો કે, તે કામ પણ શરૂ કરવામાં આવેલ નથી તેમજ મચ્છુ નદીમાં ચાર સ્થળે બેઠા પૂલ જેમાં જુના સ્મશાનથી સામાકાંઠે નવા સ્મશાન સુધી, મહાપ્રભુજીની બેઠકથી કાલીકા ઘાટ શીતળા માતાના મંદિર સુધી, રામ ઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ સુધી અને ભડીયાદ રોડથી લીલાપર રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે 






Latest News