મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ


SHARE













મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પ્રીમોનસુન કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના તમામ લોકો વીજ કંપનીથી ત્રાહિમામ પોકારી ગયા છે ખાસ કરીને સિરામિક ઉદ્યોગ ૨૪ કલાક ચાલુ રહે છે તો પણ વીજ પુરવઠો ત્યાં નિયમિત રીતે આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફટકો પડે છે.

મોરબી જીલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અગાઉ સંપ્પન થઇ ગઈ હોવા છતાં વીજતંત્રએ સિરામીક ઝોનમાં ૧૨  કલાકથી વીજ પુરવઠો આપેલ ન હતો જેથી સીરામીક ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોને મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર આધારે કારખાના ચાલુ રાખવા પડ્યા હતા અને વીજતંત્રની બેદરકારીના લીધે ઉદ્યોગકારોને નુકશાન થયું હતું જેથી કરીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મોરબી હળવદ રોડ, પીપળી રોડ, માટેલ રોડ સહિતના સિરામીક ઝોનમા ૧૨ કલાકથી વધુ સમયથી પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો હતો અને અચાનક વીજપુરવઠો કાપી નાખવામાં આવતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી નુકશાની આવેલ છે વધુમાં સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યુ હતું કે, બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈથી જવાબ આપે છે. જેના કારણે ઉધોગોને મોટી નુકશાની સહન કરવી પડે છે 






Latest News