મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ


SHARE













મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પ્રીમોનસુન કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના તમામ લોકો વીજ કંપનીથી ત્રાહિમામ પોકારી ગયા છે ખાસ કરીને સિરામિક ઉદ્યોગ ૨૪ કલાક ચાલુ રહે છે તો પણ વીજ પુરવઠો ત્યાં નિયમિત રીતે આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફટકો પડે છે.

મોરબી જીલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અગાઉ સંપ્પન થઇ ગઈ હોવા છતાં વીજતંત્રએ સિરામીક ઝોનમાં ૧૨  કલાકથી વીજ પુરવઠો આપેલ ન હતો જેથી સીરામીક ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોને મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર આધારે કારખાના ચાલુ રાખવા પડ્યા હતા અને વીજતંત્રની બેદરકારીના લીધે ઉદ્યોગકારોને નુકશાન થયું હતું જેથી કરીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મોરબી હળવદ રોડ, પીપળી રોડ, માટેલ રોડ સહિતના સિરામીક ઝોનમા ૧૨ કલાકથી વધુ સમયથી પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો હતો અને અચાનક વીજપુરવઠો કાપી નાખવામાં આવતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી નુકશાની આવેલ છે વધુમાં સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યુ હતું કે, બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈથી જવાબ આપે છે. જેના કારણે ઉધોગોને મોટી નુકશાની સહન કરવી પડે છે 








Latest News