મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સખી મેળાનું ઉદ્દઘાટન કરશે


SHARE

















મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સખી મેળાનું ઉદ્દઘાટન કરશે

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ૩૦ મી જૂન થી ૮મી જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્દઘાટન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું પ્રદર્શન તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, કરછ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા નગરપાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત અગ્રણી તેમજ જિલ્લા વહીટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને ૩૦મી જૂનથી ૮મી જુલાઈ દરમિયાન આ મેળાનો લોકોને વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News