મોરબી જીલ્લામાં મતદારયાદી સુધારણાનો વધુમાં વધુ લાભ લેવા કલેક્ટરની અપીલ
SHARE









મોરબી જીલ્લામાં મતદારયાદી સુધારણાનો વધુમાં વધુ લાભ લેવા કલેક્ટરની અપીલ
મોરબી જીલ્લામાં મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તેનો જિલ્લાના લોકો દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે તેના માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે આગામી તા.૧/૧૦ ની લાયકાતના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
જે મુજબ આગામી તા.૩૧/૭ સુધી મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુનઃ ગોઠવણી મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ ઇપિક સબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧/૮ થી તા.૧૦/૮ સુધી ફોર્મેટ-૧ થી ૮ તૈયાર કરવા તથા ૧/૧૦ ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણીયાદીઓ અને મુસદ્દા મતદારયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧૨/૮ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવશે અને સબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી તા.૧૨/૮ થી ૧૧/૯ રજૂ કરી શકશે. આ હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો તા. ૨૬/૯ સુધીમાં નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે. તા.૪/૧૦ સુધીમાં મતદારયાદીમાં હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહે છે તથા ડેટાબેઝ અદ્યતન કરવાની તથા પૂરવણી યાદીઓ જનરેટ કરવાની રહે છે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦/૧૦ ના રોજ કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો EIC દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP,VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકશે. જેથી ઉક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અને તંદુરસ્ત મતદારયાદી તૈયાર થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર-મોરબી જે.બી. પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.
