માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ  યોજાશે 


SHARE

















મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ  યોજાશે 

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન આવતી કાલ  તા. ૨ ને શનિવારે કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની સાથે સમાજના મેડિકલ ક્ષેત્રના કોરોના વોરિયર્સ નું પણ સન્માન  તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે 

મોરબીમાં છેલ્લા ૧૦ થી વધુ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતુ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આવતી કાલે તા. ૨ ને શનિવારે સાંજે ૭:૩૦ કલાકે ભાવની પાર્ટી પ્લોટ, રચના સોસાયટી પાછળ શોભેશ્વર રોડ મોરબી ખાતે "વંદન, અભિનંદન - કોરોના વોરિયર્સ" , નામનો વિદ્યાર્થી  સન્માન સમારોહ -૨૦૨૨ યોજાશે  જેમાં સમાજના ધો. ૧ થી કોલેજ સુધીના ૮૦ થી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ તેમજ રોપા આપી સન્માનિત કરવામાં આવશે  તેમજ કોરોના કાળમાં પોતાના જીવની પણ પરવાહ કર્યા  વગર સેવા કરનાર સમાજના મેડિકલ ક્ષેત્રના ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કોરોના  વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લોક ગીત, નાટક સહિતના  જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

આ ઉપરાંત  અત્યારે વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોથી બચવા  અંગેનું પણ  મોરબી પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે   કાર્યક્રમમાં મોરબી થાન વાંકાનેર રાજકોટ સહિતના ગામોથી  સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળામાં અષાઢી બીજના રોજ સવારે આઠથી ૯:૩૦ સુધી મંદિર પરિષદમાં રામલા ની રથયાત્રા ફરશે તથા ૯:૩૦ થી ૧૧ વાગ્યા સુધી આનંદના ગરબાનો કાર્યક્રમ હોય તથા ૧૧:૩૦ મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે તેમાં મોરબીની ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા ઉમિયા આશ્રમના ટ્રસ્ટીઓ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.




Latest News