મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓને સુવર્ણતક: મોરબીના નવયુગ સંકૂલ ખાતે MBA અને M.Sc પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષની શરૂઆત


SHARE











વિદ્યાર્થીઓને સુવર્ણતક: મોરબીના નવયુગ સંકૂલ ખાતે MBA અને M.Sc પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષની શરૂઆત

મોરબીના નવયુગ સંકૂલ ખાતે અત્યાર સુધી ચાર કોલેજ કાર્યરત હતી જો કે, ચાલુ વર્ષથી MBA અને M.Sc (Microbiology) જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના બે અભ્યાસક્રમ તેમજ કોમર્સ કોલેજ અને નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓને ઘર આંગણે જ હવે નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસનો લાભ મળશે જેથી વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી છે

મોરબીના વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે રાજકોટ,અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું તે હવે ઘર આંગણે મોરબીની સર્વશ્રેષ્ઠ નવયુગ કોલેજમાં અભ્યાસ કરી શકશે અને અહિયાં MBA અને M.Sc જેવા માસ્ટર ડીગ્રીના કોર્ષ ઉપલબ્ધ થઈ રહ્યા છે આથી સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા મોરબી શહેર એટલે સીરામીકનું હબ અને ઈન્ડસ્ટ્રીયલનું હબને હવે બેસ્ટ મેનેજમેન્ટની યુવાનોની ટીમ નવયુગ MBA માંથી મળી રહેશે. તેમજ નવયુગ MSC માંથી સાયન્ટીસ્ટ જેવા માઈન્ડ ધરાવતા યુવાનો તૈયાર થશે ત્યારે પત્રકારોને માહિતી આપતા સંસ્થાના સુપ્રીમો પી.ડી.કાંજીયાએ જણાવ્યુ હતું કે, મોરબીના શિક્ષણ જગતને સાયન્સ અને મેથના શિક્ષકો તથા તજજ્ઞો પણ અહીંથી મળી રહેશે. અને મોરબીને સારા અધિકારીની ટીમ મળી પણ ભવિષ્યમાં મળશે વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબીમાં ઘર આંગણે જ માસ્ટર ડિગ્રીના બે કોર્ષ વિદ્યાર્થીઓને મળવાથી વિદ્યાર્થીને અભ્યાસમાં સરળતા રહેશે અને તેમના વાલીઓને પણ બિન જરૂરી ખર્ચમાંથી મુક્તિ મળી જશે આ તકે ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભિલા, અમેબીએના પ્રિન્સિપાલ પંડિત સહિતના હાજર રહ્યા હતા






Latest News