મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામા મદ્રેશા સહિતના ચાર ધાર્મિક દબાણ પાલિકાએ તોડી પાડ્યા


SHARE













મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામા મદ્રેશા સહિતના ચાર ધાર્મિક દબાણ પાલિકાએ તોડી પાડ્યા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધાર્મિક દબાણો કરવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક લોકો દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકામાં ફરિયાદો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આજરોજ પોલીસ બંદોબસ્ત રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવવામાં આવેલ એક મદ્રેસા અને ત્રણ મંદિરોને તોડી પાડવામાં આવ્યા છે 

લોકોને ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે સરકાર દ્વારા હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે અંતર્ગત મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તૈયાર કરવામાં આવ્યા છે અને તેનો પારદર્શક ડ્રો કરીને લોકોને તે મકાન ફાળવી દેવામાં આવ્યા છે અને હાલમાં ધીમે ધીમે કરતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદરના ભાગમાં એક મદ્રેસા અને ત્રણ મંદિરો બનાવવામાં આવ્યા હતા જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની ફરિયાદો કરવામાં આવી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મોરબી પાલિકામાં અગાઉ મદ્રેશાના દબાણ માટે ફરિયાદ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કરવામાં આવેલ મદ્રેસા અને ત્રણ મંદિરો આમ કુલ મળીને ચાર ધાર્મિક દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાસેથી જાણવા મળેલ છે








Latest News