મોરબીના ઘુટું રોડ ઉપર યુવાનનું મોત નિપજાવનારા ટેન્કર ચાલકની ધરપકડ
મોરબી જિલ્લા કોંગ્રેસ કાલે જીએસટી મુદે કરશે ધરણાં
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ કાલે જીએસટી મુદે કરશે ધરણાં
કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી નાખવામાં આવેલ છે ત્યારે પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા. ૫ ને શુક્રવારના રોજ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે વિરોધ પ્રદર્શન અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા જીએસટીને નાબૂદ કરવા માંગ કરશે.
તાજેતરા સરકારે ઘઉંનો લોટ ,મધ,ગોળ, અનાજ, દુધ, દહી, પનીર જેવી વસ્તુઓ પર જીએસટી લગાવેલ છે જેથી કરીને મોંઘવારી વધી છે ત્યારે લોકો ઉપર અસહ્ય બોજ વધી ગયો હોવાથી કોંગ્રેસ દ્વારા લોકોનો આવાજ બનીને ભાજપ સરકાર સામે વિરોધ વ્યકત કરશે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો હોદેદારો સહિતના હાજર રહેશે જીએસટીની સાથોસાથ હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી ગરબા ઉપર ૧૮ ટકા જીએસટી નાખવામાં આવેલ છે તેમજ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આજની તારીખે આસમાને પહોચી ગયેલ છે ત્યારે મોઘવારીના મારથી લોકો હેરાન થઈ ગયા છે