મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું રોડ ઉપર યુવાનનું મોત નિપજાવનારા ટેન્કર ચાલકની ધરપકડ


SHARE













મોરબીના ઘુટું રોડ ઉપર યુવાનનું મોત નિપજાવનારા ટેન્કર ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુંટુ ગામના યુવાનનું મોતનું નીપજ્યું હતું. જેથી મૃતક યુવાનના પિતા દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરેલ છે.

મોરબીના ઘુંટુ ગામે રહેતો પાર્થ ગોવિંદભાઈ પરેચા (૨૦) નામનો યુવાન ગઈ તા.૩૧-૭ ના સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ટીફીન આપવા માટે મોરબી તરફ આવતો હતો ત્યારે ઘુંટુ રોડ ઉપરથી તે જયારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એકોર્ડ સીરામીકના ગેઇટની સામે તેના બાઈકને પાણી ભરેલા ટેન્કર નં. જીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી પાર્થ પરેચાનું મોત નિપજયુ હતું.જેથી બી ડિવિઝન પોલીસ મથકે મૃતકના પિતા ગોવિંદભાઈ ગાંડુભાઇ પરેચાએ ટેન્કર નંબર જીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આ બનાવમાં પીએસઆઈ એલ.એન.વાઢિયા દ્વારા ટેન્કરના ચાલક જયંતિભાઇ નારણભાઇ સુમડ જાતે રાજગોર બ્રહ્મણ (૭૧) રહે.રામકૃષ્ણ સોસાયટી મોરબી-૨ મૂળ રહે.મનહરપરા ફાયર બ્રીગેડ પાસે ભાવનગર રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.

૨૦ રૂપિયા આપવાની ના પાડતા માર માર્યો

મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાલાભાઈ નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના ગાંધીચોક વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેની પાસે અજાણા ઇસમે ચા પાણી માટે રૂપિયા ૨૦ માગ્યા હતા જેની દિલીપભાઈએ ના પાડતા સામેવાળાએ તેમને ઠીકાપાટુનો માર માર્યો હતો.બનાવને પગલે એ ડિવિઝનના એચ.એમ.ચાવડા અને સંજયભાઈ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ઝેરી દવા પી જતા સગીરા સારવારમાં

હળવદ તાલુકાના સુસવાવ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રણજીતાબેન બીનિયાભાઈ આદિવાસી નામની ૧૪ વર્ષીય સગીરા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.








Latest News