મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારો કાલે આવેદનપત્ર પાઠવશે
SHARE
મોરબીમાં પીએસીએલ કંપનીના એજન્ટો-રોકાણકારો કાલે આવેદનપત્ર પાઠવશે
મોરબીમાં લોકોએ નાણાની બચત કરવા માટે પીએસીએલમાં રૂપિયા રોક્યા હતા અને ઘણા લોકો તેમાં એજન્ટ તરીકે કામ પણ કરતાં હતા ત્યારે સેબીએ તેના ઉપર રોક લગાવી દેતા વર્ષ ૨૦૧૬ થી ઘણા લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને કાલે મોરબીમાં કંપનીના એજન્ટો અને રોકાણકારો દ્વારા કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે.
મોરબીમાં ઘણા એજન્ટ પીએસીએલનું કામ કરતાં હતા જો કે, આ કંપની ઉપર સેબીએ રોક લગાવી દેતા અનેક લોકોના નાણાં તેમાં ફસાઈ ગયા છે જેથી કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૦ થી ૧૫ હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ઓનલાઇન થઇ રહ્યા છે. પરંતુ અનેક રોકાણકારોને હજુ નાણાં પરત મળ્યા નથી જેથી કરીને એજન્ટોને ધમકી મળી રહી છે જેથી કાલે મોરબીના એજન્ટો અને રોકાણકારો કલેકટર અને એસપીને તેમજ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપવાના છે