મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૦ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં સોઓરડી પાસે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ યોજાશે
SHARE
મોરબીમાં સોઓરડી પાસે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ યોજાશે
શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવને પ્રિય એવા એક વૃક્ષ કૈલાસપતીની વાત કરીએ. આ વૃક્ષ બહું જૂજ જગ્યાએ જોવા મળે છે. સદભાગ્યે આપણે ત્યાં મોરબીમાં આ વૃક્ષ શહેરમાં નગરપાલિકા ગ્રાઉન્ડ તથા લીલાપર રોડ ઉપર મુળુભાઈ ગજીયાના ઘરે જોવા મળ્યા છે. મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર આ બંન્ને સ્થળની જાત મુલાકાત લઈને આ વૃક્ષની વિશેષતા વિશે માહીતી આપતાં કહે છે કે, આમાં ફળ અને ફૂલ બંન્ને અલગ અલગ વિકસે છે. તોપનાં ગોળા જેવા આકારનું ફળ તો વૃક્ષનાં ઘણા વર્ષોનાં ઉછેર પછી જોવા મળે છે પરંતુ ફૂલ દરેક સીઝનમાં થડના ભાગે વેલામાંથી નિયમિત રીતે ખીલે છે.ફૂલની વિશેષતા એ છે કે તેનો આકાર અદલ શિવલિંગ જેવો હોય છે અને ફુલનાં ઉપરનાં ભાગનો હિસ્સો શિવલિંગ ઉપર શેષનાગની જેમ વીંટલાયેલો હોય છે.સુગંધી ફૂલ વહેલી સવારે પલ્લવીત થઈને બપોર સુધીમાં ખરી પડે છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબમા આવેલ સોઓરડી વિસ્તારમાં જારીયા પાન પાસે આ વર્ષે ૨૦૨૨ ભવ્ય જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ અને રાસ ગરબાનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે તેવું સર્વ જ્ઞાતિ યુવા ગ્રુપ સોઓરડીના આગેવાને જણાવ્યુ છે