માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે " ભસ્મ આરતી " યોજાઈ


SHARE

















સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોએ અલૌકિક ભસ્મ આરતીનો લીધો દર્શનલાભ 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેર મધ્યે ચાવડી શેરી ખાતે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ગઈ કાલે સોમવારે ભસ્મ આરતી અને દીપ માળાનું આયોજન કરવામાં આવતાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન લાભ લીધો હતો.

વર્ષો જુના નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, શ્રાવણ માસનાં દરેક સોમવાર દરમ્યાન વિવિધ શણગાર સહિતનાં આયોજન કરવામાં આવે છે, ગઈકાલે સોમવારે દીપમાળા અને ભસ્મ આરતી યોજવામાં આવતાં આ અલૌકિક દર્શનનો ભાવિકો એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે લાભ લીધો હતો,  આયોજન સફળ બનાવવા તથા નિલકંઠ મહાદેવ મંદિરનાં સતત વિકાસ માટે આ વિસ્તારનાં લતાવાસીઓ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News