માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ સાઈટના ચોથા માળેથી નીચે પડતા બાળકનું મોત


SHARE











મોરબીમાં બાંધકામ સાઈટના ચોથા માળેથી નીચે પડતા બાળકનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર નજીક નવી બનતી બિઝનેસ સાઈટના ચોથા માળેથી નીચે પડતા મજુર પરિવારના ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે લક્ઝુરીયા બિઝનેસ પાર્ક નજીક નવા બની રહેલ ઇમારત સાઈટના ચોથા માળેથી નીચે પટકાતા પ્રદીપ વિજયભાઈ સિંગાર જાતે આદિવાસી નામના ત્રણ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું.મૃતક બાળકના માતા-પિતા શોપિંગ કોમ્પલેક્ષમાં મજૂરી કામ કરતા હતા ત્યારે રમતા રમતા ચોથા માળેથી નીચે પડતા માથાના ભાગે થયેલ ગંભીર ઇજાઓના લીધે ત્રણ વર્ષીય પ્રદીપ નામના આદિવાસી બાળકનું મોત નિપજયુ હતું.જેથી કરીને બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમારે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના નાડધ્રા ગામે રહેતા રાજલબેન રમેશભાઈ ડાભી નામની ૨૩ વર્ષની મહિલાએ તેના ઘેર ઝેરી દવા પી લેતા તેણીને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે રાજલબેનને ઢોર બાબતે પોતાના સાસુ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો તે વાતનું મનમાં લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા હનીફભાઈ પરમાર પોતાના ૧૪ વર્ષના પુત્ર અરમાનને બાઈકમાં બેસાડીને શાળાએ જતા હતા ત્યારે રસ્તામાં પાણી ભરેલા રોળ ઉપર રોડનો ખાડો ન દેખાતા ખાડામાં મોટરસાયકલનું ટાયર આવતા વાહન સ્લીપ થઈ ગયુ હતું.જેથી ઇજાઓ થતા અરમાન પરમાર નામના ૧૪ વર્ષના બાળકને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ હમીરભાઈ ચૌહાણ નામના ૩૯ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસના અશોકભાઈ સારદીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.






Latest News