ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માલધારી સમાજ બુધવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે


SHARE











મોરબી જીલ્લામાં માલધારી સમાજ મંગળવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે

ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા સરકારના ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો છે અને આગામી તા.૨૧ ના રોજ સમગ્ર ગુજરાતમાં દૂધ વિતરણ નહીં કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ માલધારીઓ દ્વારા બે લાખ લીટર દૂધ વેચવામાં નહીં આવે તેવું માલધારી સમાજના આગેવાને જણાવ્યુ છે

ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ માટે જે કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે, ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપવામાં આવે, વાડા કાયદેસર કરવામાં આવે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવે તે સહિત ૧૧ માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે અને તા ૨૧ ના રોજ એકપણ માલધારી સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ નહીં વહેંચે અને લોકોને ઘરે ઘરે દૂધ આપવા માટે પણ જશે નહીં તેવું આહ્વાન કરવામાં આવ્યું ચે ત્યારે મોરબી માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડે જણાવ્યું હતું મોરબી જીલ્લામાં બે લાખ લિટર દૂધ વહેચવામાં આવશે નહી






Latest News