મોરબી જીલ્લામાં માલધારી સમાજ બુધવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે
વાંકાનેર નજીક હસનપરના પુલ પાસે ઘેટાં ઉપર ટ્રક ફરી વળતાં ૧૦ વધુ ઘેટાના મોત
SHARE
વાંકાનેર નજીક હસનપરના પુલ પાસે ઘેટાં ઉપર ટ્રક ફરી વળતાં ૧૦ વધુ ઘેટાના મોત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલ હસનપરના પુલ પાસે સોમવારે બપોરના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ ઉપરથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર રોડ સાઈડમાંથી પસાર થતા ઘેટાંના ટોળા ઉપર ફરી વળ્યો હતો જેથી કરીને ૧૦ થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને ચાલકનો ટ્રક રોડ ઉપરથી જતી એક કારમાં પણ પાછળના ભાગે અથડાયો હતો જેથી કરીને કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને અકસ્માતના બનાવના કારણે રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો જેથી કરીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના પહોંચી હતી અને રસ્તા ઉપરથી અકસ્માત સર્જાયેલ વાહનોને દૂર કરવાની તેમજ રોડ ઉપર ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતના બનાવવામાં કારમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ ઈજા થયેલ છે કે કેમ તેની માહિતીઓ મેળવાઇ રહી છે